ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીમાં ડૂબી ગયોઃ લક્ઝરી ગાડીઓ રમકડાંની જેમ તણાઈ

0
તમિલનાડુ પર Cyclone Michaung ત્રાટક્યો છે જેના કારણ 70થી 80 માઈલની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. શહેરના રસ્તાઓ પર એટલું પાણી ધસી આવ્યું છે કે વાહનો રમકડાંની જેમ તણાઈ ગયા છે. આગળ જતા આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ તરફ ફૂંકાય તેવી શક્યતા છે. શાળાઓ-ઓફિસોમાં રજા આપી દેવાઈ છે.
  • ચેન્નાઈ સહિતના દરિયાકિનારાના શહેરોમાં ભયંકર વરસાદ
  • શહેરમાં પાણી ભરાયું, વાહનો તણાઈ ગયા, વીજળી બંધ
  • સેંકડો ટ્રેનો પણ રદ, લોકો પોતાની ઓફિસ અથવા વાહનોમાં ફસાયા
તમિલનાડુના દરિયાકિનારે માઈચુંગ વાવાઝોડું હવે શક્તિશાળી સાઈક્લોનમાં ફેરવાઈ ગયું છે. ચેન્નાઈ શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે અને એરપોર્ટ પર રનવે પણ પાણીમાં ડૂબી ગયો હોવાથી ફ્લાઈટ્સ રદ થઈ છે. આગામી ચોવીસ કલાકમાં તમિલનાડુના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ચેન્નાઈ શહેરમાં એટલો ભારે વરસાદ પડ્યો છે કે ઘણી જગ્યાએ વાહનો રમકડાની જેમ તણાઈ રહ્યા હોવાના વીડિયો વાઈરલ થયા છે. શહેરમાં એક રીતે જોવા જતા પૂરની સ્થિતિ છે અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના પાણી ભરાયા છે. લોકલ ટ્રેનો અને મેટ્રો ટ્રેનોમાં લોકો ફસાઈ ગયા છે. તેમના માટે ઘરે પરત આવવું પણ મુશ્કેલ છે કારણ કે રોડ પર વાહન ચાલી શકે તેવી સ્થિતિ જ નથી. છેલ્લા 6 કલાકમાં વાવાઝોડું 10 કિમી આગળ વધ્યું છે. આગળ જતા તે આંધ્રપ્રદેશ તરફ ફંટાય તેવી શક્યતા છે.
હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે આજે ચેન્નાઈમાં પવનની ઝડપ 70 માઈલથી 80 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કાંચીપુરમ, ચેન્નાઈ, ચેંગેલપેટ અને તિરુવલ્લુરમાં આટલી ઝડપે પવન ફૂંકાશે. આ વાવાઝોડાની અસર તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલમાં જોવા મળશે. ભારતના દરેક શહેરમાં ચોમાસામાં જોવા મળે છે રીતે ચેન્નાઈના કેટલાક વિસ્તારોમાં એટલા બધા પાણી ભરાયા છે કે કાર અને બીજા વાહનો તણાઈ રહ્યા છે.

ચક્રવાતી વાવાઝોડામાં લોકોને બચાવવા અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની ટીમો ગોઠવીદેવામાં આવી છે. પરંતુ વરસાદનું પ્રમાણ એટલું છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી હાલમાં ઉતરે તેમ નથી. તેના કારણે હજારોની સંખ્યામાં વાહનોને નુકસાન થયું છે અને લોકોની ઘરવખરી પલળી ગઈ છે. વરસાદ એટલો બધો છે કે લોકો પોતાના વાહનોને રસ્તામાં જ છોડીને જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે.
ચેન્નાઈમાં અમુક જગ્યા પર જૂની બિલ્ડિંગ પડી ગઈ હોય અથવા તેના કોઈ ભાગને નુકસાન થયું હોય તેવી ઘટનાઓ બની છે જેમાં એનડીઆરએફની ટીમ મદદ માટે પહોંચી છે.

ચક્રવાતી વાવાઝોડા અને વરસાદના કારણે ચેન્નાઈ અને આજુબાજુના ત્રણ જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ આજે બંધ રહેશે. રાજ્ય સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા જણાવ્યું છે. ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓમાં રાતોરાત પડેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે સત્તાવાળાઓએ દરિયાકાંઠાના જિલ્લાઓમાં લગભગ 5,000 રાહત કેન્દ્રો સ્થાપ્યા છે. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ગઈકાલે રાત્રે સુરક્ષાના પગલાંની સમીક્ષા કરી હતી અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top