ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે એટલે કે ગુરુવારે (8 ડિસેમ્બર) આવવાના છે. મતગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, ત્યારબાદ EVM ખુલશે. આમ આદમી પાર્ટીના કારણે ગુજરાતમાં આ વખતે સ્પર્ધા ત્રિકોણીય માનવામાં આવી રહી છે.
રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને પાર્ટી આ વખતે પણ સરકાર બનાવવા માટે આત્મવિશ્વાસ અનુભવી રહી છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં બીજેપી કમબેક કરી રહી છે. જો કે કોંગ્રેસનો દાવો છે કે જ્યારે પરિણામ આવશે ત્યારે તમામ એક્ઝિટ પોલ નિષ્ફળ જશે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દાવો કર્યો છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.
જીગ્નેશ મેવાણીએ જીતનો દાવો કર્યો
જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં કોંગ્રેસની મૌન લહેર વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, આ વિધાનસભાની ચૂંટણી ગુજરાત અને દેશને નવી દિશા આપશે, રાજ્યમાં પરિવર્તન ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી આપખુદશાહી, બેરોજગારી અને મોંઘવારી વિરુદ્ધ થવાની છે. જિગ્નેશે દાવો કર્યો કે એક્ઝિટ પોલની વિરુદ્ધ આ વખતે કોંગ્રેસ પાર્ટીને 120 સીટો મળવાની છે.


.png)