મીડિયાને સંબોધતો ઠગ સુકેશ ચંદ્રશેખરનો ચોથો પત્ર સામે આવ્યો હતો. સુકેશે આમ આદમી પાર્ટી (AAP) અને તેના નેતા દિલ્હીના સીએમ, અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. સુકેશે કેજરીવાલના એ આરોપોનો જવાબ આપ્યો હતો કે તે આગામી ચૂંટણીઓ માટે આ બધું હેતુપૂર્વક કરી રહ્યો છે.
તેણે કહ્યું કે AAP અગાઉની પ્રેસ રિલીઝ અને દિલ્હી એલજીને ફરિયાદોમાં લગાવેલા આરોપોનો જવાબ આપવાને બદલે ‘શબ્દ યુદ્ધ’થી તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે.
‘આપ’ની ધમકીઓને કારણે હમણાં સુધી ચૂપ હતો – સુકેશ
AAPએ સુકેશ પર આરોપ લગાવ્યો હતો કે તે આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બધું ઈરાદાપૂર્વક કરી રહ્યો છે. પાર્ટીના નેતાઓએ સવાલ કર્યો હતો કે જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તેમની પૂછપરછ કરી ત્યારે સુકેશે પહેલાં કેમ કંઈ કહ્યું નહીં. આરોપોના જવાબમાં સુકેશ ચંદ્રશેખરનો ચોથો પત્ર સામે આવે છે જેમાં કહેવાયું છે કે તે જેલમાં સતત ધમકીઓ અને દબાણને કારણે ચૂપ રહ્યો અને દરેક વસ્તુની અવગણના કરી હતી.
હવે ચૂંટણી દરમિયાન શા માટે આરોપો લગાવી રહ્યો છે તેવા સવાલ પર સુકેશ ચંદ્રશેખરે કહ્યું, “તમારી (આપની) સતત ધમકીઓ અને જેલ પ્રશાસન દ્વારા દબાણ ખૂબ વધી ગયું છે અને મારે તમારી આ બધી હરકતો સહન કરવી પડે એવી કોઈ જરૂર નથી. તેથી જ મેં કાયદા પ્રમાણે જવાનું નક્કી કર્યું. એટલા માટે નહીં કે કોઈ કે કોઈ મને આમ કરવાનું કહે છે.”
તેણે સત્યેન્દ્ર જૈન પર પૂર્વ ડીજી સંદીપ ગોયલ સામે હાઈકોર્ટમાં નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે “ધમકી” આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.
મનીષ સિસોદિયાના નિવેદન પર કે સુકેશ દિલ્હી એલજીને પત્રો લખી રહ્યો છે કારણ કે તેને કેસમાં મદદ કરવામાં આવી રહી છે, તેણે કહ્યું, “મને કોઈની મદદ માટે રસ નથી અને સદનસીબે હું મારા કેસને હેન્ડલ કરવામાં અને મારી નિર્દોષતા સાબિત કરવામાં ખૂબ સક્ષમ છું. તેથી આ મુદ્દાને મુખ્ય મુદ્દાથી વાળવાનું બંધ કરો.”
દિલ્હી એલજીને પોતાના નવા પત્રમાં સુકેશે કેજરીવાલને વિનંતી કરી કે “તમને ઓફર મોકલવાનું બંધ કરો.” તેણે કહ્યું, “મને જેલ પ્રશાસન દ્વારા ઓફર અને ધમકીઓ મોકલવાનું બંધ કરો. મને તમારી કોઈપણ ઓફરમાં રસ નથી અને કોઈ ડર પણ નથી. હું પીછેહઠ નહીં કરું. હું ખાતરી કરીશ કે તમને અને શ્રી જૈનને આપવામાં આવેલ દરેક વ્યવહારને કાયદાની અદાલતમાં મેં સાચવેલા દરેક પુરાવા સાથે રજૂ કરવામાં આવશે કે તમે કેવી રીતે બેવડા ચહેરાવાળા છો.”
પત્રના અંતમાં, સુકેશે લખ્યું હતું કે જો તેના કોઈ પણ આરોપ સાચા સાબિત થયા તો કેજરીવાલે રાજીનામુ આપી દેવું જોઈએ.