વ્યારાના જેસીંગપુરા ગામમાં કપડા સૂકવતી વખતે કરંટ લાગવાથી માતા-પુત્રીનું મોત નિપજ્યું

0

તાપી જીલ્લાના વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામમાં કપડા સૂકવતી વખતે કરંટ લાગવાથી માતા-પુત્રીનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, કપડાં સૂકવવાની પાઇપ સાથે ઇલેક્ટ્રિક વાયરનો સંપર્ક થયો હતો, જેમાંથી વીજ કરંટ પસાર થઈ રહ્યો હતો. જ્યારે બંને ત્યાં કપડા સૂકવવા માટે પહોંચ્યા તો પાઇપને અડકતા જ કરંટ લાગ્યો અને ઘટના સ્થળે જ માતા કૈલાશબહેન ગામીત અને ધનગોરી ગામીતનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. એકસાથે માતા અને પુત્રીના નિધનથી પરિવાર તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top