તાપી જિલ્લામાં જળસંચયના કામો માટે રૂપિયા ૫૦ લાખની ગ્રાન્ટની ફાળવણી

0
  • સુરત અને તાપી જિલ્લા માટે રૂ.25-25 લાખ મળી કુલ રૂ.50 લાખની ગ્રાન્ટની ફાળવણી
  • વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને આવનારી પેઢીઓને સમૃદ્ધ જળવારસો મળે
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સીઆર પાટીલની પ્રેરણાથી દેશભરમાં 'જળસંચય જનભાગીદારી' પહેલ હેઠળ જળસંચય અભિયાન વેગવાન બન્યું છે.

સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે અને આવનારી પેઢીઓને સમૃદ્ધ જળવારસો મળે તે માટે જળસંચય (વોટર હાર્વેસ્ટિંગ)ની કામગીરી માટે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ સંસદ સભ્ય સ્થાનિક વિકાસ યોજના નિધિમાંથી સુરત અને તાપી જિલ્લા માટે રૂ.25-25 લાખ મળી કુલ રૂ.50 લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે.

કેન્દ્રીય જલશક્તિ મંત્રી સીઆર પાટીલના 71મા જન્મદિન નિમિત્તે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જનહિતલક્ષી અભિગમ અપનાવી જળસંચય માટે આ માતબર અનુદાન ફાળવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top