એક બાજુ ક્ષત્રિય સંકલન સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર અને માત્ર ભાજપનો જ વિરોધ કરશે, ભલે AAP અને કોંગ્રેસ રજા-મહારાજાઓ વિશે ગમેતેટલું ખરાબ બોલે. જે બાદ ક્ષત્રિય સમાજની અંદરથી જ સમિતિના વિરોધમાં સૂર ઊઠ્યા છે. તેવામાં હવે માંધાતાસિંહની આગેવાનીમાં રાજકોટના રણજીતવિલાસ પેલેસ ખાતે યોજાયેલ રાષ્ટ્ર પ્રથમ ચિંતન શિબિર બાદ ગુજરાતના 45 રાજવીઓએ ભાજપ અને મોદીને સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે.

અહેવાલો અનુસાર ગુરુવાર, 2 મેના રોજ રાજકોટના પૂર્વ રાજવી માંધાતાસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજવીઓની એક બેઠક બોલાવી હતી. રણજીતવિલાસ પેલેસ ખાતે આયોજિત આ બેઠકને ‘રાષ્ટ્ર પ્રથમ ચિંતન શિબિર’ નામ આપવામાં આવ્યું હતું અને સવારના 8:45એ તે શરૂ થઈ હતી.
આ બેઠકમાં 15 રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે હવે આવનાર ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં આગળ વધશે એ બાબતે ચર્ચા થઈ હતી. છેલ્લે સર્વાનુમતે એમ નક્કી કરવામાં આવ્યું કે તેઓ સૌ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. PM મોદી પોતે રાષ્ટ્ર પ્રથમનો મંત્ર લઈને કામ કરે છે અને ક્ષત્રિય રાજવીઓ માટે પણ રાષ્ટ્ર પ્રથમ જ પ્રાથમિકતા હોવાથી આ નિર્ણય લેવાયો છે.


.png)