નિઝર તાલુકામાં આવેલ નવાનવલપુર ગામ ખાતે ગત વર્ષ 2000/2001માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફ્તે ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત ગામજનો માટે લાખોના ખર્ચે ગ્રામ સમાજવાળીનું મકાન બનાવામાં આવેલ છે.જે મકાનને ઘણા વર્ષો વીતી જવાના કારણે મકાન જર્જરિત જેવી હાલતમાં જોવા મળી રહ્યું છે. તેમજ દરવાજો અને બારીઓ પણ તૂટી ગયેલ છે. જેથી ઘણા સમયથી ગામજનો આ મકાનનું ઉપયોગ કરી રહ્યા નથી. વર્ષો જૂનું તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ સમાજવાળીનું મકાન જર્જરિત જેવું અને બારીઓ કે દરવાજા પણ તૂટેલા હોવાથી આ મકાન હાલમાં બિન ઉપયોગી બન્યું છે. તાપી જિલ્લો બન્યો ન હતો.
તેના પહેલા નવા નવલપુર ગામ ખાતે સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત લાખોના ખર્ચે ગ્રામ સમાજવાળીના મકાનનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ગામમાં મકાન બનાવવામાં આવતા ગામજનોમાં જે તે સમયે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અને ગામના લોકોઓ ભેગા થઇ આ મકાનની અંદર બેસીને સામાજિક કાર્ય તેમજ ધાર્મિક કાર્ય સહીત અન્ય કોઈ પણ કાર્ય અંગે ચર્ચાઓ કરવાંમાં આ મકાનનો ઉપયોગ હતા. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મકાનના બારીઓ, દરવાજા તૂટી જતા તેમજ મકાન પણ જર્જરિત જેવી હાલતમાં હોવાના કારણે ગામજનો મકાનનો ઉપયોગ કરી રહ્યા નથી.
ગોકુળ ગ્રામ યોજના અંતર્ગત નવા નવલપુર ગામમાં લાખોના ખર્ચે બનેલું ગ્રામ સમાજવાળીનું મકાન હાલ બિન ઉપયોગી બનતા લોકો માટે મકાન શોભાના ગાંઠિયા સમાન ઉભું છે. આ મકાન જર્જરિત જેવું લાગતા તેમજ બારીઓ, દરવાજા પણ તૂટેલી હાલતમાં હોવાના લીધે મકાનમાં પ્રવેશ કરાતા મેન દરવાજા પાસે કાંટાના ઝાંખરાઓ મુકી દેવામાં આવ્યા છે, જેથી અંદર કોઇ પ્રવેશી શકે નહીં.