કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના નામે એક કાર્યક્રમ કર્યો હતો. આ અંતર્ગત રાહુલ ગાંધીએ મણીપુરથી મહારાષ્ટ્ર સુધી ‘ભારત જોડો યાત્રા’ની થીમ પર જ એક યાત્રા કરી. મહારાષ્ટ્રમાં આ યાત્રાનું સમાપન પણ થઈ ગયું. પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જે લોકોએ પોતાના વાહનો ભાડે આપ્યા હતા, તે લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોપ છે કે કોંગ્રેસે તેમના વાહનો તો બાંધ્યા, પરંતુ ભારત જોડો ન્યાય યાત્રાના આટલો સમય થયા બાદ પણ તેમના વાહનોની બાકી નીકળતી લાખો રૂપિયાની ચુકવણી નથી કરવામાં આવી.

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના બુલંદશહરના કેટલાક ટ્રાન્સપોર્ટ વેપારીઓ અને ડ્રાઈવરોએ આરોપ લગાવ્યો છે કે તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પોતાના વાહનો ભાડે આપ્યા હતા. યાત્રા પૂર્ણ થયાને આટલો સમય વીતવા છતાં તેમનું લાખો રૂપિયાનું વળતર નથી આપવામાં આવી રહ્યું. આટલું જ નહીં, પીડિતોનો દાવો છે કે પોતાના બાકી નીકળતા પૈસા માંગવા પર તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ મામલે હવે તમામ વાહન માલિકોએ બુલંદશહેર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.


.png)