વ્યારા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત સરકારી કન્યા છાત્રાલય રહેતી વિદ્યાર્થીનીઓ સાથે થઈ રહેલ હલકી કક્ષાના સામાન વાપરી, દૂર વ્યવહારની તપાસ અને કાર્યવાહી કરવા રાજ્ય ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતુ.
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આજરોજ કલેકટરને આપેલા આવેદનમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ સાથે સંસ્થાના કર્મચારીઓ દ્વારા દૂર વ્યવહાર કરાય છે સાથે જે ખાવાનું અપાય છે એ પણ ખરાબ ગુણવત્તા વાળું છે, હોસ્ટેલમાં સુરક્ષા અંગે બેદરકારી, સીસીટીવી કેમેરા મૂકાતા નથી, સિક્યુરિટી સમયસર હાજર રહેતા નથી, શાકભાજી હલકી કક્ષાની મંગાવવામાં આવે છે, ભોજનમાં જીવડા નીકળે છે અને સફાઈ કર્યા વગર જમવાનું બનાવતા જેમાં કાંકરા,ખીલી, વાયરના ટુકડા નીકળે છે.
હોસ્ટેલમાં શાકભાજી અને અનાજ આવે છે તેમાંથી 50% સામાન રસોડાના સ્ટાફ તથા હોસ્ટેલના કર્મચારીઓ પોતાના ઘર ઉપયોગ માટે લઈ જાય છે, છેલ્લા ત્રણ વર્ષથી હોસ્ટેલમાં ગરમ પાણી માટે સુવિધા નથી, હોસ્ટેલની સફાઈ અંગે બેદરકારી દાખવે છે, વોર્ડન વર્ષાબેન તથા ઇન્ચાર્જ ઉર્વશીબેનને રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી. વિદ્યાર્થીનીઓ દ્વારા માંગણીઓ કે કંઈક રજૂઆત કરવામાં આવે તો કર્મચારીઓને ધમકી આપવામાં આવે છે કે બીજા વર્ષે હોસ્ટેલમાં એડમિશન આપશે નહીં આવી કેટલીક ગંભીર ફરિયાદો ઉઠી છે.

.png)