રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી
- અમદાવાદના DDO એમ.કે.દવેને ગાંધીનગર કલેક્ટર બનાવાયા
- મોરબીના કલેક્ટર જીટી પંડ્યાને દ્વારકાના કલેક્ટર તરીકે બદલી
- જામનગર કલેક્ટર બીએ શાહની વડોદરા કલેક્ટર તરીકે બદલી
- નવસારી કલેક્ટર અમિત પ્રકાશ યાદવની ખેડા કલેક્ટર તરીકે બદલી
- સૌરભ પારધીને બનાવાયા સુરત કલેક્ટર
- રાજકોટ કોર્પોરેશનના ડે.કમિશ્નરની છોટાઉદેપુર કલેક્ટર તરીકે બદલી
- ગૃહ વિભાગના સેક્રેટરીની દાહોદ કલેક્ટર તરીકે બદલી
- કિરણ ઝવેરીની મોરબી કલેક્ટર તરીકે બદલી
- AMC ડે.કમિશ્નર નેહાકુમારીની મહીસાગર કલેક્ટર તરીકે બદલી
- મોરબીના ડીડીઓની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી
- નવસારીના કલેક્ટરની ખેડા કલેક્ટર તરીકે બદલી
- ટુરીઝમના એમડી આયુષ સંજીવને સુરતના કલેક્ટર બનાવાયા
- રાજકોટના ડેપ્યુટી કમિશ્નરને છોટાઉદેપુરના કલેક્ટર બનાવાયા
- વડોદરાના કલેક્ટર એબી ગોરની પણ બદલી
- જામનગરના કલેક્ટરને વડોદરા કલેક્ટર તરીકે બદલી
- કિરણ ઝવેરીને મોરબીના કલેક્ટર બનાવાયા
- AMCના ડેપ્યુટી કમિશ્નરને મહીસાગરના કલેક્ટર બનાવાયા
- મોરબીના ડીડીઓને ગીર સોમનાથના કલેક્ટર બનાવાયા
- વલસાડના કલેક્ટરની નવસારી કલેક્ટર તરીકે બદલી
- બનાસકાંઠા ડીડીઓની રાજકોટ ડેપ્યુટી કમિશ્નર તરીકે બદલી
- અમદાવાદ ડીડીઓની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી
- વડોદરા કલેક્ટર એબી ગોરને CMOમાં OSD તરીકે બદલી
- અમરેલીના ડીડીઓની શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે બદલી
- જૂનાગઢના કોર્પોરેશન કમિશ્નરને સુરેંદ્રનગરના ડીડીઓ બનાવાયા
રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને 29 મામલતદારોની બદલી
તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 38 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી હતી. 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતા. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.
હાલમાં બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે શાહની ડીસી-એલઆર, O/o કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ હતી. આણંદ જિલ્લાના બોરસદમા પ્રાન્ત ઓફિસર એચ.ઝેડ. ભાલિયાની બદલી આણંદ જિલ્લાના ઝાલોદમાં પ્રાન્ત ઓફિસર તરીકે કરવામાં આવી છે. હાલમાં જૂનાગઢ ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા ચાંદની પરમારની રાજકોટ જિલ્લા રાજકોટ શહેર-1માં પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પ્રાન્ત ઓફિસર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર.એસ. દેસાઇની અમદાવાદ જિલ્લાના વિરમગામના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી હતી.



.png)