- મોતનું કારણ આપઘાત કે હત્યા ? રહસ્ય ઘેરાયું
બારડોલીના કડોદ ગામના માજી તાલુકા પંચાયત સભ્ય અને માજી સરપંચ સુરેશભાઇ બાબુભાઇ રાઠોડ (58) કલર કામનો વ્યવસાય કરે છે. હાલ થોડા સમયથી તેમને ઉભરાટના વાસી ગ્રામપંચાયતનું કલર કામનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય. તેવો ત્યાં જ રહેતા હતા અને અવારનવાર કડોદ ઘરે અવરજવર કરતા હતા. તા.21/08/2023ના રોજ તેના પિતાના શેઠ વિશાલભાઇએ સુરેશભાઇનાં પુત્રને જણાવ્યુ હતુ કે, તેના પિતા 20/08/2023 ના રોજ રાત્રે ઘરે જાવ છું કહીને નીકળ્યા છે, ફોન ઉપાડતા નથી.
જે બાદ બુધવારે મદાવ ગામ ની સીમ માં આવેલ સાંકડા પુલના લોખંડના એંગલ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ લાશ મળી હતી. પોલીસે પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશભાઇ વ્યારા તાલુકાના મદાવ પાસેના પુલ પર લટકતી અવસ્થામાં મૃત મળ્યા હતા. તેમના શર્ટના ખિસ્સામાંથી તા. 22/8/23 ની વ્યારા તાલુકાના સરૈયા ફાટાની બપોરે 2.24 ની ગુજરાત એસ.ટી.બસની ટીકિટ મળી છે. વ્યારાથી મદાવ અને સરૈયાથી મદાવ 2.50 થી 3 કિમી દૂર છે. સુરેશભાઈ અહીં કેવી રીતે આવ્યા તે પણ એક પ્રશ્ન છે. સુરેશભાઈ ની વેગન આર કારનો હાલ કોઈ પત્તો નથી.પણ કારની ચાવી તેમના પેન્ટ સાથે લટકતી હતી. તેમજ તેમનો મોબાઈલ પણ ગાયબ છે.