ડ્રગ્સ મુદ્દે કેજરીવાલના પ્રહાર:ગુજરાતમાં તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા દેશના યુવાઘનને દાવ પર મૂક્યો છે- દિલ્હીના CM

0
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે રવિવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રશાસનની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાઘનને દાવ પર છે. ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. પ્રશાસનની મિલીભગતના કારણે આવું થાય છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતમાં રિક્ષાચાલકો, વેપારીઓ, વકીલો, અને સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ અને ગેરંટી આપવાના છે.


ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ છેલ્લા કેટલાક મહિનામાં પકડાયું
અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતમાં આવતા ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. પ્રશાસનની મિલીભગતના કારણે આવું થાય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા કેટલાય મહિનામાં અહીંયા આવ્યું છે. જે પકડાયું હોવાનું જાહેર થયું છે. જે નથી પકડાયું તે કેટલું હશે ?

ગુજરાત અને પંજાબ પોલીસ કેટલીકવાર સાથે ડ્રગ્સ પકડે છે
મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં આવે છે, જેને રોકવામાં પ્રશાસન નિષ્ફળ છે. ભ્રષ્ટાચાર અને તેમના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે યુવાનોને દાવ પર રાખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ છે અને અહીંયાથી આખા દેશમાં સપ્લાય થાય છે, એટલે દેશ અને ગુજરાતના યુવાનો તેને લે છે. ગુજરાતમાંથી ડ્રગ્સ પંજાબ અને અન્ય રાજ્યોમાં જાય છે તે બંધ થવું જોઈએ. ડ્રગ્સ ગુજરાતમાંથી પંજાબમાં જાય છે અને ઘણી વખત ગુજરાત અને પંજાબ પોલીસ સાથે મળી અને આ ડ્રગ્સ પકડે છે.

ગુજરાતમાં અમારી સરકાર બની તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે. જેની ગેરંટી આપવા માટે આવ્યા છે. ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ પેપરો ફૂટ્યા છે તે તમામની અમે તપાસ કરાવીશું. કોઈપણ ધારાસભ્ય, મંત્રી કવ મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નહીં કરે. દોષીતોને કડક સજા અપાવીશું. ભ્રષ્ટાચાર નહીં થાય તેના કારણે જે પણ પૈસા બચશે તેને પ્રજાના કામો માટે વાપરવામાં આવશે અત્યારે જે પૈસા બેંકમાં ગયા છે તે પ્રજાના કામમાં ઉપયોગમાં લેવાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top