રામજી મંદિર પટાંગણમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાનું નક્કી કર્યું
કવાંટ તાલુકાના ખંડીબારા ગામમાં દેશી દારૂની ઉત્પાદન અને વેચાણ ચાલતું હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળતો હતો, જેને લઇને સ્વતંત્રતા પર્વના દિવસે આ દેશીદારૂ બંધ કરાવવા માટે ગામના રામજી મંદિર પટાંગણમાં ભેગા થઈને દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાનું નક્કી કર્યું હતું. ગામમાં રેલી કાઢી દેશી દારૂના અડ્ડા પર જઈ તેમને આ ધંધો બંધ કરવાની જાણ કરી હતી.
મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા
છતાં પણ ગામમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. તમામ ભઠ્ઠીઓની તોડફોડ કરીને દેશી દારૂ બનાવવાનો સામાન રામી ડેમની કેનાલમાં પધરાવી દીધો હતો. આ હલ્લાબોલ દરમિયાન ખંડીબારાનાં બાળકોથી લઈને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.




.png)