ગુજરાતના આ IAS અધિકારીની CBIએ કરી ધરપકડ, ભ્રષ્ટાચારના લાગ્યા છે આરોપ

0
કે.રાજેશને આવતીકાલે અમદાવાદ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે.રાજેશ સુરેન્દ્રનગરમાં કલેક્ટર રહી ચૂક્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની સીબીઆઇએ ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભ્રષ્ટાચાર અંગેની લાંબી તપાસના અંતે ગુજરાતના IAS અધિકારી કે.રાજેશની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કે.રાજેશના ઠેકાણા પર સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. કે.રાજેશને આવતીકાલે અમદાવાદ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે.રાજેશ સુરેન્દ્રનગરમાં કલેક્ટર રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે 2017થી લઈ 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. દરમિયાન હથિયાર પરવાના લાઇસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા. પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાનાઓના લાયસન્સ બેફામ રીતે આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમણને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી મેમણના કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top