સુરત જિલ્લામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર માખીગા ગામથી વાહન વ્યવહાર બંધ કરાયો. નવસારી તેમજ વલસાડ જિલ્લામાં હાઇવે પર વરસાદી પાણીને લીધે વાહન વ્યવહાર થંભી ગયો. સતત ૪ કલાકથી વાહન ચાલકો અટવાયા. સાવચેતીના ભાગરૂપે પોલિસ વડા, ઉચ્ચ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત ગોઠવી માખીગા ગામેથી પરત ફરતા ટ્રક ચાલકો હાઇવેની બાજુમાં લાઈનો લગાવીને બેસી ગયા. માખીગા ગામેથી ૧૫ કિ.મી. લાંબી લાઈનો લાગી ગઈ. કોઈ જાનહાનિ ન થાય તે માટે વાહનોના પૈડાં થભાવી દેવામાં આવ્યા હતા.
પલસાણા:પાણી ભરાવાના કારણે માખીગા ગામેથી રસ્તો બંધ કરાયો,નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાહનોના પૈડાં થભી ગયા.
જુલાઈ 14, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)