ગરીબ અને અસહાય લોકોને અનાજ (Food for Poor people) મળી રહે અને તેઓ ભૂખ્યા ન રહે તે માટે ભારત સરકાર (Govt of india) દ્વારા રાહત દરે સસ્તું અનાજ આપવામાં આવે છે. દેશમાં ચલાવવામાં આવતી તમામ મફત રાશન યોજનાઓ માટે રેશન કાર્ડ (Ration Card) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડનો ઉદ્દેશ્ય પાત્ર લોકોને અનાજની કમી ન થાય તે જોવાનો છે. પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો જેઓ પાત્રતા ધરાવતા નથી, છતાં પણ છેતરપિંડી કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હવે સરકારે (government)તેમના પર રોક લગાવવાની તૈયારી કરી છે.
રાજ્ય સરકાર સાથે બેઠકો શરૂ
સરકાર આ દિશામાં કડક પગલાઓ લઇ રહી છે અને ખોટા ગરીબ બનીને રેશન કાર્ડ દ્વારા લાભ લઇ રહેલા લોકોને લીસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત અન્ન અને જાહેર વિતરણ વિભાગે રેશન કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી છે. આ અંતર્ગત રાજ્ય સરકારોની સાથે બેઠકો પણ શરૂ થઇ ચૂકી છે. સંભવતઃ જલદી જ આ અંગે કોઇ મોટી જાહેરાત થઇ શકે છે.
ખોટા કાર્ડ ધારકો સામે કડક પગલા
સરકાર સરકારી રાશનની દુકાનોમાંથી રેશનકાર્ડ દ્વારા અનાજ લેનારા પાત્ર લોકો માટે નિર્ધારિત ધોરણોમાં ફેરફાર કરવા જઈ રહી છે. લાયકાત માટેના નવા ધોરણો બહાર આવ્યા બાદ સરકાર મુક્ત રેશનિંગ યોજનાઓનો લાભ લેનારા બોગસ ગરીબોના નામ યાદીમાંથી કાઢી નાંખવામાં આવશે અને માત્ર પાત્ર લોકો જ આ યોજનાઓનો લાભ લઈ શકશે.
.png)


.png)