વાલીઓ મક્કમ:ચાકળિયામાં વાલીઓએ બીજા દિવસે પણ બાળકોને શાળામાં ન મોકલ્યા

0

 શિક્ષિકા બહેનની બદલી કરવાની માગ પર વાલીઓ મક્કમ રહ્યા



સોનગઢ તાલુકાના ચાકળીયા ગામે તાપી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં એક શિક્ષિકા બહેનની બદલીના મુદ્દે વાલીઓ દ્વારા શનિવારે બાળકોને શાળાએ નહિ મોકલાયા બાદ સોમવારે પણ શિક્ષણના બહિષ્કારનો અમલ યથાવત્ રહેતા શાળામાં માત્ર શિક્ષકોની જ હાજરી જોવા મળી હતી.

સોનગઢ તાલુકાના ચાકળીયા ગામે જિલ્લા પંચાયત તાપી સંચાલિત પ્રાથમિક શાળામાં અંદાજિત 160 કરતાં વધુ બાળકો અભ્યાસ કરે છે. ગત થોડા સમય પહેલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શીલાબહેન ઝાડ અને શાળાના આચાર્ય સુધાકરભાઈ ગામીત વચ્ચે શાળાના વહીવટ બાબતે મતભેદ ઉભા થયા હતા અને અંતે મામલો સોનગઢ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આ બનાવના કારણે પોલીસ સ્ટાફ અવારનવાર શાળામાં તપાસ અર્થે આવતાં હોય શાળા કૅમ્પસમાં ભયનું વાતાવરણ બન્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

ચાકળીયા ગામના વાલીઓ દ્વારા શાળાનું વાતાવરણ સુધરે એવા આશય સાથે શિક્ષિકા શીલાબહેનની બદલી અન્ય શાળામાં કરવાની માગ કરવામાં આવી છે. ગત ટર્મમાં બાળકોને આ શિક્ષિકા દ્વારા પ્રગતિ પત્રક આપવા આવ્યું નથી એ બાબતે વાલી ઓ દ્વારા વિરોધ વ્યક્ત કરી થોડા દિવસ પહેલાં શાળાને તાળા પણ મારવામાં આવ્યાં હતાં. શાળામાં તાળા બંધી થઇ હતી એ વખતે ત્યાં ઉપસ્થિત તાલુકા શિક્ષણ અધિકારી અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ ચૌહાણ અને અન્ય અધિકારીઓ દ્વારા આ પ્રશ્ન નો નિકાલ ત્રણ ચાર દિવસમાં કરી દેવાની ખાત્રી અપાઇ હતી.

પરુંત ચાર દિવસનો સમય વીતી ગયા બાદ પણ વાલીઓ દ્વારા કરવામાં આવેલી માગ પ્રમાણે શિક્ષિકા બહેન તરફથી બાળકોને પ્રગતિ પત્રક આપવામાં નથી આવ્યાં કે વાલીઓની માંગણી પ્રમાણે શિક્ષિકા બહેનની બદલી કરવા અંગે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેથી વાલીઓ રોષે ભરાયા હતાં. ગત શનિવારે વાલીઓ અને ગ્રામજનોએ ભેગા થઈ ગાંધી ગિરી સાથે શાળા માં પોતાના બાળકો ને શિક્ષણ મેળવવા માટે ન મોકલવા નું નક્કી કર્યું હતું અને એ સાથે તેમણે બાળકોને આપવામાં આવતા શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો.

એ પછી પણ બે દિવસ વીતી ગયા બાદ પણ વાલીઓની માંગણી બાબતે કોઈ નિકાલ નહિ આવતાં શિક્ષણ કાર્યનો બહિષ્કાર સોમવારે પણ યથાવત્ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બહેનની બદલી કરવાની માગ સાથે વાલીઓ મક્કમ હોવાનું જોવા મળ્યું હતું.

બદલી બાદ જ બાળકને શાળાએ મોકલીશ
આ શિક્ષિકા બહેનને કારણે ચાકળીયા શાળાનું વાતાવરણ બગડ્યું છે જેથી એમની બદલી કરવા અંગે અમે ગત 11 મી એપ્રિલે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. એ પછી 20મી જૂને પ્રશ્નનું નિરાકરણ ન આવે તો શાળામાં તાળા બંધી કરશું એવી ચીમકી આપવામાં આવી હતી જેની કોઈ અસર સરકારી વિભાગોને થઈ ન હતી. આખરે શુક્રવારે શાળામાં તાળા બંધી થઈ હતી.આ શિક્ષિકા બહેનની બદલી ન થાય ત્યાં સુધી હું મારા બાળકને શાળાએ મોકલવાની નથી. > કિનલબેન પરસોત્તમભાઈ ગામીત, અધ્યક્ષ,એસએમસી સમિતિ, પ્રાથમિક શાળા, ચાકળિયા

બાળકોને ખોટી રીતે શિક્ષા કરાઇ હતી
મારુ બાળક આ શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરે છે. શાળામાં ગત પહેલી તારીખે ધોરણ એક અને બેના બાળકોને ખોટી રીતે શિક્ષા કરવામાં આવી હતી. આ શિક્ષિકા બહેન દ્વારા બદલાની ભાવના સાથે ફરજ બજાવતા હોય એવું મને લાગે છે. આ સ્થિતિમાં હું કઈ રીતે મારા બાળકને અભ્યાસ કરવા શાળામાં મોકલી શકું ? જ્યાં સુધી શિક્ષિકાની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી હું મારા બાળકને શાળાએ મોકલવા રાજી નથી. > અરુણભાઈ ગામીત, સ્થાનિક વાલી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top