વ્યારા APMC યાર્ડમાં કાદવ કિચડથી ચેરમેન સાહેબ ચાલવું મુશ્કેલ, થોડો ખર્ચ પ્રાથમિક સુવિધા માટે પણ કરો: ખેડૂતો

0
કાદવ કિચડના સ્થળે પુરાણ કરાવે અને પાણી નિકાલ કરાવે એ જરૂરી



વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટમાં વરસાદી પાણીનાં નિકાલ અભાવે ઠેર ઠેર કાદવનું સામ્રાજ્ય છે. સ્થાનિકો અને એપીએમસીમાં આવતા ખેડૂતો અને વેપારીઓ ત્રાસ અનુભવી રહ્યા હોય, ત્યારે વએપીએમસીના તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી તાકીદે કમ્પાઉન્ડમાં અંદર થતાં કિચડ બાબતે સફાઈ કરાવી અને પુરાણ કરાવે એવી માગ ઉઠી છે. દિવસમાં હજારો ખેડૂતો અને વેપારીઓની અવરજવરના સ્થળે આવી બેદરકારી રોગચાળાને આમંત્રણ આપે છે.

વ્યારા એપીએમસીમાં દિવસભર સુરત અને તાપીના ખેડૂતો અને વેપારીઓ શાકભાજી, સહીત અન્ય અનાજ ખરીદ વેચાણ માટે આવે છે. હાલ ચોમાસાની શરૂઆત થવાની સાથે એપીએમસીમાં વરસાદના પાણી ખાડાઓમાં ભરાઈ રહેતા ઠેર ઠેર કાદવ કિચડ થતાં પસાર થવું મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. કિચડના કારણે દુર્ગંધ પણ આવી રહી છે. સંબંધિત તંત્ર દ્વારા આ પાણી ભરાય એવા સ્થળો પર પુરાણ કરાવે જેથી પાણીનો નિકાલ થઈ જાય અને કાદવ કિચડની સમસ્યાથી મુશ્કેલી પણ દૂર થાય.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top