વ્યારાના લખાલી પાસે આવેલો કોઝવે પાણીમાં ગરક થતાં 7 ગામોને હાલાકી

0
દર વર્ષે ચોમાસામાં મુશ્કેલી નોતરતા કોઝવને ઉંચો કરવાની સ્થાનિકોની માગ



વ્યારા તાલુકા ના ઝાંખરી નદીનો લખાલીથી ઢોંગીઆંબા તરફ જતા કોઝવે ઉપર પાણી ફરી વળતા 7 થી વધુ ગામો સમ્પર્ક વિહોણા બન્યા હતા. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોની ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે આ લો લેવલ ક્રોઝવેને ઊંચો બનાવે એવી માંગ ઉઠી છે.

વ્યારા તાલુકાના લખેલી ગામ પાસે આવેલા ઝાંખરી નદીનાકોઝવે પર પાણી ભરાઈ રહેતાં આ માર્ગનો ઉપયોગ કરતા વ્યારા તાલુકાનાચીચબોરડી, વડપાડા, રાણીઆંબા, ઢોંગીઆંબા, વાલોઠા, ભુરીવેલ,લખાલી સહિતના ગ્રામજનોને મુશ્કેલીમાં મુકાયા હતા. કોઝવે પર પાણી ફરી વળતાં આસપાસના અનેક ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની પહોંચી હતી.

સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને 17 ગામોને સારવાર પુરી પાડતુ આ ગામનાં પ્રાથમિક આરોગ્ય કેંદ્રનો પણ સમ્પર્ક તુટ્યો હતો. જેનાં કારણે ગ્રામજનોની આવશ્યક સેવાઓ પણ ખોરવાઈ હતી. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ સમય આ ગામોની આવી જ વિકટ પરિસ્થિતી નિર્માણ થાય છે.

વહિવટીતંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી છે પણ પુલ બનાવવાની ગ્રામજનોની માંગણી પર કોઇ ધ્યાન આપવામાં આવતુ નથી. સામાન્ય વરસાદમાં તેમજ ઉપરવાસના વરસાદને કારણે પાણી ભરાઈ જવાની ઘટનાને લઈને આ માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો રાહદારીઓ અને ગ્રામજનોએ ભારે હાલાકી ભોગવી પડી રહી છે આ બાબતે દ્વારા આવનાર સમયમાં ગંભીરતા દાખવી જરૂરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top