વડાપ્રધાન મોદીએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા, 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો

0
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની સજા ફટકારી છે. વડાપ્રધાન મોદી આજે પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર વરસ્યા હતાં

ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. ચૈતર વસાવાને સજા મળતાં જ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે તેઓ આ કેસમાં જામીન મેળવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. આ કેસમાં એક મહિલાને કોર્ટે જામીન આપ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર વરસ્યા હતાં.

ચૈતર વસાવા પર આડકતરી રીતે પ્રહાર
વડાપ્રધાને જાહેર સભાને સંબોધતા આડકતરી રીતે કહ્યું હતું કે, કેટલાક દિવસો પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી છે. આ સજા સરકારી અધિકારીઓ પર હુમલા અને વસૂલીના મામલામાં સંભળાવી છે. વસૂલી અને ગેરકાયદેસર કબજો એ બધું જ તેમની રાજનીતિનો ટ્રેડ માર્ક બની ચૂક્યો છે. આવા અનેક કેસોમાં ઘણા લોકો જામીન પર બહાર ફરી રહ્યાં છે.

પંજાબની સત્તા પર બેઠા છે તેઓ ખૂબ અભિમાની
વડાપ્રધાન મોદીએ પંજાબમાં જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે જે લોકો પંજાબની સત્તા પર બેઠા છે તેઓ ખૂબ અભિમાનથી દેશની રાજનીતિ બદલાવાનો દાવો કરતા હતાં. પરંતુ આજે તેમનું સત્ય દેશ જોઈ રહ્યો છે. બે ત્રણ દિવસ પહેલા જ દિલ્હીમાં તેમના એક નેતાને કોર્ટે દોષિત કરાર આપ્યો છે. તેમની પર કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે. આ ઉપરાંત પોલીસના આઈબી અધિકારીની હત્યાનો પણ છે. આ લોકોની બેશરમી જુઓ કોર્ટે સાબિતીઓના આધાર પર ચુકાદો આપ્યો અને આ લોકો કોર્ટના ચુકાદા સામે પણ સવાલો ઉઠાવી રહ્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top