ચીખલીના અલીપુર નજીક આવેલી કંપનીમાં આગ લાગતા દોડધામ, આસપાસના રહેણાંક વિસ્તારમાં લોકોના જીવ અધ્ધર થયા

Study Material
0
નવસારીના ચીખલી તાલુકાના અલીપુર ગામ પાસે આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની ચાર ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
નવસારીના ચીખલી તાલુકાના અલીપુર ગામ પાસે આવેલી મયુર ફર્નિચરમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી હતી. ઘટનાના પગલે ચાર ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરો ઘટનાસ્થલ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગણતરીની મિનિટોમાં જ ફર્નિચર કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને જીવ અધ્ધર થયા હતા. કંપનીમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું અમલીકરણ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગ કરી હતી. જ્યારે નાયબ મામલતદારે કહ્યું હતુ ંકે, જો આ બનાવમાં કોઈની બેદરકારી જણાશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top