જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ આજે ફોર્મ ભર્યું છે. જોકે, ફોર્મ ભરતા પહેલા તેઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જે બાદ સભા સંબોધી હતી. તેમજ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા ગયા હતા. હીરાભાઈ જોટવાએ દોમડીયા વાડી ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકોની ઉપસ્થિતિમાં સભા સંબોધી હતી.
આ તકે કોંગ્રેસના વિક્રમ માડમે જણાવ્યું કે, જૂનાગઢમાં જંગી રેલી કાઢવામાં આવી હતી. આ સરમુખત્યારી સરકાર, ભષ્ટ્રાચારી સરકારને હટાવવા માટેનો એક પ્રયત્ન છે ત્યારે જનતા પણ અમારી સાથે છે. ત્યારે હુ જનતાને ખાતરી આપુ છું કે જો તમે આ ઉમેદવારને જીતાડશો તો ચોક્કસ તમે એમાં ફાયદામાં રહેશો. બેકારી છે, મોંધવારી છે એક હથ્થુ શાસન છે. તાલુકા પંચાયતથી શરૂ કરીને દિલ્હી સુધી એક વ્યક્તિનું શાસન છે એક પાર્ટીનું નહી એક વ્યક્તિનું શાસન છે. હિન્દુસ્તાનની જનની ક્યારેય સરમુખત્યારીને સ્વિકારતી નથી.