જિલ્લા આરોગ્ય અધિકારી તાપીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ-મતદાતા શપથ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તમામ તાલુકામાં કુલ 1550 જેટલા અધિકારી-કર્મચારી, આશા બહેનો, દર્દીઓ તેમજ તેઓના સંબંધીઓ દ્વારા ઇ-મતદાતા શપથ લેવામાં આવી હતી. જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ લોકશાહીના પર્વની ઉજવણીમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી નક્કી કરીને રાષ્ટ્રની લોકશાહીને પાયાથી મજબૂત કરવા માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આગામી 7 મે, 2024ના રોજ મતદાનના દિવસે, બંધારણ દ્વારા મળેલ અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા અંગે ઇ-મતદાતા શપથ લેવામાં આવી હતી.
23-બારડોલી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે ક્રિશન કુમારની નિમણૂક
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય તથા ભારતીય ચૂંટણી પંચ દ્વારા 23-બારડોલી સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે ક્રિશન કુમાર (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે.
ઓબ્ઝર્વરને સવારે 10.00થી 12.00 વાગ્યા સુધી, 1.સર્કીટ હાઉસ વ્યારા તેમજ 2.બ્લોક નં 01 કલેકdટર કચેરી, જિલ્લા સેવાસદન, પાનવાડી, વ્યારા-તાપી ખાતે મળી શકાશે. ઓબ્ઝર્વરશનો સંપર્ક મો.નં 9016965488, ઇ-મેલ એડ્રેસ krishan.kumar65@nic.in તથા કચેરીનો ટેલિફોન નંબર 02626-220687 અને સર્કિટ હાઉસ ટેલિફોન નં. 02626-299204 છે. જેની જાહેર જનતાને નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવાયું હતું.