"ગુજરાતની જનતા કોંગ્રેસ તરફી છે અને ભાજપ વિરુદ્ધ છે"શક્તિ સિંહે

0
શક્તિ સિંહે ગર્જના કરી હતી કે, ગુજરાતની જનતા કોંગ્રેસ તરફી છે અને ભાજપ વિરુદ્ધ છે. જનતા ભાજપની નીતિથી નારાજ છે અમને ફોન કરીને પોતાની સમસ્યાઓ જણાવે છે. ભારત જોડો ન્યાય યાત્રા જિલ્લાના 6 રૂટમાં જવાની છે અને ગુજરાતને લગતા મુદ્દાઓ યાત્રા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું અમે કામ કરીશું. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું ભાજપ રૂપિયા ગણીને ધારાસભ્યો ખરીદવાનું કામ કરે છે. પરંતુ કોંગ્રેસના એવા પણ કાર્યકર્તા છે કે જેને ભાજપ રૂપિયાથી પણ ખરીદી નથી શકતી. અહેમદ પટેલને યાદ કરીને તેઓએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલનાં સમયમાં અમારા ઘણા ધારાસભ્યો ભાજપમાં ગયા હતા પરંતુ 15 જેટલા ધારાસભ્યો ફરી ક્યારેય ચૂંટાઈ શક્યા ન હતા. 






ગુજરાતની સમસ્યાને યાત્રા વાચા આપશેઃ
 યાત્રા વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, યાત્રા કંબોઈ ધામ ખાતે ગુરુ ગોવિંદ સિંહ મંદિરે, પાવાગઢમાં ચરણસિંહ મંદિર તેમજ બારડોલીમાં સ્વરાજ સ્થળે મુલાકાત લેશે. ગુજરાતના અનેક પ્રશ્નોને યાત્રા દરમિયાન ઉજાગર કરાશે. જેમાં પેપર ફૂટવા, બેરોજગારી, ખેડૂતોના અનેક પ્રશ્નો, સંગ્રહખોરો માલ સંગ્રહ કરી ખેડૂતોને પાયમાલ બનાવી રહ્યા છે વગેરેનો સમાવેશ કરીશું. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે થોડા સમય પહેલા આવેલા માવઠાના કારણે ખેડૂતોની ખૂબ મોટી તારાજી થઈ છતાં ભાજપ દ્વારા એક શબ્દ પણ બોલાયો નથી. ભાજપ માત્ર રૂપિયાના જોડે ધારાસભ્યો ખરીદવામાં રસ ધરાવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top