ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગ્યે હશે. એને ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે.
એક દિવસ પહેલાં જ બે કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે. જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનરે શુક્રવાર 15 માર્ચે પદની જવાબદારી સંભાળી છે.
પંચના ત્રણ અધિકારીએ શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું.
રાજકીય પક્ષોએ પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવો
5 ફેબ્રુઆરીએ ચૂંટણીપંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચારમાં કોઈપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડ્વાઈઝરીમાં ચૂંટણી પેનલે પક્ષ-ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોનો પોસ્ટર અને પેમ્ફલેટનું વિતરણ કરવા તથા સૂત્રોચ્ચાર કરવામાં ઉપયોગ ન કરવાની કડક સૂચના આપી છે. જો કોઈ પક્ષ કે ઉમેદવાર દ્વારા આવી હરકત કરવામાં આવશે તો તેના પર ઝીરો ટોલરન્સ પોલિસી લાગુ કરી સજા આપવામાં આવશે.


.png)