આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે સીટ વહેંચણી અંગે નિર્ણય કર્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ દિલ્હીમાં ચાર લોકસભા અને હરિયાણામાં કુરુક્ષેત્ર લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
રાજકીય બાબતોની સમિતિ (PAC), પાર્ટીના સંગઠન મહાસચિવ સંદીપ પાઠક, વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ આતિશી અને ગોપાલ રાયે પાંચ ઉમેદવારો વિશે જણાવ્યું હતું. આમાં ખાસ વાત એ છે કે પાર્ટીએ ત્રણ ધારાસભ્યો સોમનાથ ભારતી, સાહી રામ અને કુલદીપ કુમારને ટિકિટ આપી છે. આ સાથે જ બે પૂર્વ સાંસદ સુશીલ ગુપ્તા અને મહાબલ મિશ્રાને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી માટે પાંચ નામોની જાહેરાત કરી:
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં રાજકીય બાબતોની સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પાંચ નામોની જાહેરાત કરી હતી.


.png)