- કાંજણ ગામના જંગલમાં પ્રેમી પંખીડાએ ફાંસો ખાધો
- અપરિણીત યુવક અને પરિણીત યુવતીની અલગ જ્ઞાતિ બંનેના મોતનું કારણ બની
વ્યારા તાલુકાના કાજણ ગામના જંગલમાં એક પ્રેમી પંખીડાઓ જ્ઞાતિ અલગ અલગ હોવાથી લગ્નમાં અડચણ આવતી હોય, બાવળના ઝાડ સાથે દોરી બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. પોલીસે સ્થળ પર જઈ મૃતકોનો કબજો મેળવી પીએમ માટે વ્યારા ખાતે લઈ આવ્યા હતા.
વ્યારા તાલુકાના ભોજપુર ગામના અંકોલિયા ફળિયામાં રહેતા અપરણિત રાહુલભાઈ ચૌધરી અને પરિણીત યુવતી રવિનબેન ભીલ રહે. બરડીપાડા, પ્રેમી પંખીડાઓની જ્ઞાતિ અલગ અલગ હોવાથી લગ્નમાં અડચણ આવતી હોય તેથી કાજણ ગામના જંગલમાં બાવળના ઝાડ સાથે દોરી બાંધી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.