પૂનમ પાંડેના મૃત્યુના સમાચારને લગતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “આજની સવાર અમારા માટે દુઃખદ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. જે પણ તેને મળ્યા હતા તે દરેક તેને પ્રેમ કરતી હતી. આ દુઃખના સમયે, અમે ગોપનીયતા માટે વિનંતી કરીએ છીએ. તેણે જે પણ શેર કર્યું છે તેના માટે અમે તેને પ્રેમથી યાદ કરીશું.”
આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં જુદી જુદી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો આ સમાચાર જાણીને પોતાને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે હજુય ઘણા એવા છે જેમને આ વાત માનવામાં નથી આવી રહી.



.png)