આપ નેતા સંજય સિંહને લાગ્યો મોટો ઝટકો

0
આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને શુક્રવારે (22 ડિસેમ્બર) દિલ્હીની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝટકો લાગ્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહની જામીન અરજી ફગાવી દીધી છે.






 દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 10 જાન્યુઆરી સુધી લંબાવી હતી. અગાઉ 11 ડિસેમ્બરે કોર્ટે સિંહની ન્યાયિક કસ્ટડી 10 દિવસ માટે વધારી હતી. કેટલાંક કલાકોનાં દરોડા અને પૂછપરછ બાદ EDએ 4 ઓક્ટોબરે AAP નેતા સંજય સિંહની ધરપકડ કરી હતી.


EDનો આરોપ છે કે દિલ્હીની દારૂની નીતિમાં ઘણી ગેરરીતિઓ હતી. પોલિસી દ્વારા પૈસા લઈને દારૂના વેપારીઓને કથિત રીતે ફાયદો થતો હતો.

તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ 4 ઓક્ટોબરે આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના ઘરે પહોંચી હતી. EDની ટીમ દ્વારા તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. AAP સાંસદે ખુદ પત્રકારોને આ અંગે માહિતી આપી હતી. આ અગાઉ આ વર્ષના મે મહિનામાં પણ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. તે સમયે તેના સહયોગીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સંજય સિંહ સતત ED અને CBIને ઘેરી રહ્યા હતા. તેઓ કહેતા રહ્યા છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top