વ્યારા: કારે અડફેટમાં લેતા માર્ગ પર પટકાયેલા બાઇકચાલકનું મોત

0
વ્યારા તાલુકાના પનિહારી ગામની સીમમાં પસાર થતા હાઇવે પર મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ પર સવાર 60 વર્ષે ઈસમને માથા તેમના શરીરના ભાગે ગંભીર પહોંચતા મોત નિપજ્યું હતું બનાવ અંગે ફોરવીલ ચાલક વિરુદ્ધ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી છે. વ્યારા તાલુકાના માયપુર ગામ માં સોમાભાઇ ગામીત તેના પરિવાર સાથે રહે છે અને ખેતી કામ કરી જીવન ગુજારે છે. 18મી જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં પોતાની બાઇક નં.(GJ.19K.6472) લઈ ઘરેથી સોમાભાઇ વ્યારા કામ અર્થે નીકળ્યા હતા.


જે દરમિયાન વ્યારા તાલુકાના પનિહારી કોલેજ પાસે પસાર થતી વેળાએ કાર નં.(GJ. 05. JE. 3432)ના ચાલકે આ મોટરસાઇકલ સાથે અકસ્માત સર્જ્યો. જેમાં 59 વર્ષીય બાઇક ચાલક સોમાભાઇ જગાભાઇ ગામીત (રહે: માયપુર ) રોડ પર પટકાતા તેમના માથા તેમજ શરીર તેમજ પગના ભાગે ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર કમકમાટીભર્યા મોત નીપજ્યું હતું. બનાવના પગલે મરણ જનાર સોમાભાઇ ગામીતના પુત્ર અનિલે કારચાલક વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top