ભારતીય ક્રિકેટ કંટ્રોલને લાગે છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે ત્રણેય ફોર્મેટમાં મેનેજમેન્ટનું કામ કરવું થોડું ભારે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ICC T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાંથી બહાર નીકળ્યા અને મોટી ટૂર્નામેન્ટોમાં સતત નિષ્ફળતા બાદ મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ તૈયારીઓ વચ્ચે BCCI ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, BCCI ભારતીય T20 ક્રિકેટના સેટઅપ સાથે મોટી ભૂમિકા માટે ધોનીને SOS મોકલવા માટે તૈયાર છે. BCCI ભારતીય ક્રિકેટમાં સ્થાયી ભૂમિકા માટે ધોનીને બોલાવવાનું વિચારી રહ્યું છે.
ધોનીને મોટી જવાબદારી મળી શકે છે
ધ ટેલિગ્રાફના અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલને લાગે છે કે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે ત્રણેય ફોર્મેટમાં મેનેજમેન્ટનું કામ કરવું થોડું ભારે છે. આને ધ્યાનમાં રાખીને, BCCI કોચિંગની ભૂમિકાઓને વિભાજિત કરવા પર વિચાર કરી રહી છે. આ જોતા BCCI ધોનીને સામેલ કરવા અને ટીમ ઈન્ડિયાનું સ્તર ઉંચુ કરવાના પ્રયાસો કરી રહી છે. અહેવાલો અનુસાર, આ મહિનાના અંતમાં યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.
રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની IPL 2023ની રમતમાંથી સંન્યાસ લઈ શકે છે. જે બાદ BCCI તેને તેના અનુભવ અને ટેકનિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની મોટી જવાબદારી આપી શકે છે. ભારતને બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીને ખાસ કરીને ટીમ ઈન્ડિયા સાથે T20 ટીમ ચલાવવા માટે કહેવામાં આવી શકે છે.
જોકે, ધોનીને ક્યારે અને કયા ફોર્મેટ માટે જવાબદારી સોંપવામાં આવશે તે અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે આ મહિનાના અંત સુધીમાં BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ધોનીની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે.