ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. કોટડા સાંગાણી ખાતે આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ઉતારી કોંગ્રેસનો કેસ કર્યો ધારણ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર અને અર્જુન ખાટરીયાના હસ્તે આ બધા લોકોએ ખેસ પહેર્યો હતો.
રાવણનો અહંકાર નથી રહ્યો, તમારો પણ નહીં રહે: દિગ્વિજય સિંહ
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો મેદાનમાં જોવા મળી રહ્યા છે. એમ.પી.ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ વડોદરાની મુલાકાત લઈ કોંગ્રેસ નેતાઓ સાથે શહેર જિલ્લાની 10 વિધાનસભાની સ્થિતિ અંગે ચર્ચા કરી જીત મેળવવા માટે કામે લાગી જવા જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટી ભાજપની બી ટીમ છે તો પણ કોંગ્રેસ સરકાર બનાવશે. લોક સમર્થન કોંગ્રેસ સાથે હોવાનો દિગ્વિજય સિંહએ દાવો કર્યો હતો.
અરવિંદ કેજરીવાલ લોકપાલનું કેમ સમર્થન નથી
તેમણે પીએમ મોદી પર પણ પ્રહાર કર્યા હતા. પૂર્વ સીએમએ કહ્યું કે, અહંમ અને અહંકારમાં છે નરેન્દ્ર મોદી. મેને ગુજરાત બનાયા ના નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વધુમાં દિગ્જવિજય સિંહે કહ્યું કે, રાવણનું અહંકાર નથી રહ્યો તમારો પણ નહીં રહે. 2002 પછી ગુજરાત બનાવ્યું કહેનારની હું નિંદા કરું છું. ખેડૂતોના કાનૂનને છોડી બીજા તમામ કાનૂનનું આપએ સમર્થન કર્યું છે. આપ એ 370નું સમર્થન, નોટબંધીનું સમર્થન કર્યું. અરવિંદ કેજરીવાલ લોકપાલનું કેમ સમર્થન નથી કરતા તેવા સવાલ પણ તેમણે કર્યા.