તારીખ ૨૦/૧૦/૨૨ના રોજ પ્રધામંત્રી ગુણસદા ખાતે આવવાના હોઈ જે સંદર્ભે ડાંગની અંદરની બસો કાર્યક્રમમાં ફાળવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને વઘઈ ખાતે બસે જંગલમાં ઉતારી દેવામાં આવ્યા હતા બાળકો સાંજે મોડું થઈ જતા ૩૫ કિમી આહવા અને ત્યાંથી બીજા ૨૦ કિમી એમના ગામડામાં જવા માટે પગપાળા ચાલતા નીકળી પડ્યા હતાં. જેઓને પૂછવામાં આવતા તેઓ એ જણાવ્યું કે. અમે આહવા જવા માટે બસમાં બેસી ગયા અને અચાનક જ બસ રદ કરી દેવામાં આવી ત્યાર બાદ એક પણ બસકે વાહનના હોઈ અમે ચાલી નીકળ્યા છીયે.
ડાંગ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ પટેલ અને આદિવાસી સામાજિક કાર્યકર તુષાર કામડી દ્વારા બસ ડેપો મેનજરને જાણ કરી સમજાવટ બાદ બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી . વિદ્યાર્થી કે બીમાર વ્યક્તિઓને મુસાફરીનું સાધનના મળતા ઘણું મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઈ છે.


.png)