મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં ખાબક્યા,મૃત્યુઆંક 97 પર પહોચ્યો, મોતનો આંકડો વધી શકે છે

0
મોરબીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ છે. 

મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે. તમને જણાવી દઈએ કે,નવા વર્ષના દિવસે પુલ શરૂ થયો હતો. હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.



મચ્છુ નદીની ઉપરના દોઢ દશક જુના કેબિલ બ્રિજ તૂટી જવાની ગોજારી ઘટનામાં અંદાજે 500 લોકો નદીમાં ખાબકતા ફરી એક વખત મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું છે. શરૂઆતી માહિતી પ્રમાણે આ હોનારતમાં 91 લોકોના મોતની સરકારે પુષ્ટિ કરી હતી પરંતુ સમય જતા આ આંકડો વધુ ભયાવહ બની રહ્યો છે.

સ્થાનિકોના 100ના મોતના આંકડાના અનુમાનની સામે સરકાર દ્વારા 9.30 કલાક સુધીમાં અંદાજે 91 લોકો બ્રિજ તૂટતા મોતને ભેટ્યા હોવાની આધિકારીક જાણકારી આપવામાં


આવી છે. આ સિવાય 100થી વધુ લોકો સારવાર હેઠળ છે. રવિવારે સાંજે અંદાજે ૬.૪૫ કલાકે મોરબીના ઝૂલતા પુલ તૂટી પડતાં લગભગ 91 વ્યક્તિ મૃત્યુ પામી છે અને આ આંક વધવાની શક્યતા રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરાજે આપી છે.

તંત્ર દ્વારા ડબલ મોરચે હાલ કામકાજ ચાલી રહ્યું છે. એક તરફ ઈજાગ્રસ્તોને જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમને તમામ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને નદીમાં હજી પણ ફસાયેલા લોકો અને મોતને ભેટેલા લોકોના શબ બહાર કાઢવા શોધખોળ ચાલી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top