ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જોકે, સૌરાષ્ટ્રના એક ગામમાં આમ આદમી પાર્ટીને કડવો અનુભવ થયો હતો. જૂનાગઢના તોરણીયામાં "આપ"ની સભામાં હોબાળો થયો હતો. સરપંચ તેમજ ગામના આગેવાનોએ આપના કાર્યકરોના ઉધડા લીધા હતા.
હિન્દુવિરોધી માનસિકતા ધરાવતી પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં, અમારી વીચારધારા ભાજપની છે. અમારા નામ ખોટી રીતે કેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કેમ કરો છો, તેમ કહી ઉધડો લીધો હતો. ગ્રામજનોએ કહ્યું કે, પહેલા પ્રચાર કેમ કરવો તે શીખો. આમ આદમી પાર્ટી દ્વારા તોરણીયા ખાતે જનસંવાદ કાર્યક્રમ હતો. ગઈકાલે રાતે પ્રોજેક્ટર પર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સંરપચ સહિતના આગેવાનોએ કાર્યક્રમ બંધ કરાવ્યો. આપના કાર્યકરોની એક પણ વાત સાંભળવામાં ન આવી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો.



.png)