ગુજરાતની બીજેપી સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. જો કે, આ ગૌરવયાત્રાને કેટલીક જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં ગૌરવયાત્રામાં અર્બુદા સેનાનો વિરોધ યથાવત છે. પાટણમાં અર્બુદા સેનાનો છેલ્લા 24 કલાકમાં ત્રીજી વખત વિરોધ સામે આવ્યો છે. પાટણથી ચાણસ્મા નીકળેલ ગૌરવયાત્રામાં ઘીણોજ બાદ રાધનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.

ભાજપની ગૌરવયાત્રાનો રાધનપુરમાં અર્બુદા સેનાએ વિરોધ કર્યો હતો. જે બાદ પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે અર્બુદા સેનાના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. હાલ આ તમામ કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે.


.png)