આયોજન વિના આંગણવાડી તોડી પડાઈ, ભૂલકાને ઝૂંપડામાં ભણવાની નોબત

News 16
0
વાલોડ ખાતે પુલ ફળિયામાં ત્રણ ત્રણ વર્ષથી તોડી પાડવામાં આવેલ આંગણવાડી બનાવવાની ફુરસદ તંત્રને નથી, કોરોના કાળ બાદ આ વર્ષથી આંગણવાડી રાબેતા મુજબ ચાલુ થઈ છે. ત્યારે એક ઝૂંપડાવાળા ઘરમાં ભૂલકાઓ શિક્ષણ લઈ રહ્યા છે. ખાણ ખનીજ ખાતા તરફથી મંજૂરી આપવામાં આવી છે પરંતુ વહીવટી મંજૂરીના વાંકે બની નથી. આંગણવાડી તોડ્યા બાદ ન બનવા પાછળ રાજકીય કાવા દાવાનો હળપતિ સમાજના બાળકો ભોગ બની રહ્યા છે. શિક્ષણ માટે ઉદાસીન વલણ ભૂલકાંઓના ભવિષ્ય સાથે ચેડા સમાન છે. સરકારનું પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયાનું સ્લોગન બર થઈ રહ્યું નથી.



વાલોડ પુલ ફળિયા વિસ્તારમાં આવેલી આંગણવાડી છેલ્લા ત્રણ ત્રણ વરસથી નવા મકાન બનાવવાના આશયથી તોડી પાડવામાં આવી હતી. આજે ત્રણ વર્ષના સમય બાદ પણ જો કામગીરી કરવામાં તંત્ર આગળ આવતું ન હોય તે જવાબદાર અધિકારીઓ માટે નીચું જોવા જેવું કહેવાય. આજે ગુજરાત સરકાર વિકાસ મોડેલ તરીકે પોતાની ઓળખ અને વિકાસના કામો બતાવતી હોય તો એ જ ગુજરાતમાં આદિવાસી અને હળપતિ સમાજના ભૂલકાંઓને પાયાંનું શિક્ષણ આપતી આંગણવાડી ત્રણ ત્રણ વરસ થયા બાદ પણ બની નથી.

કોરોના કાળ બાદ આ વર્ષથી આંગણવાડી રાબેતા મુજબ ચાલુ થઈ છે, ત્યારે 47 જેટલા વિદ્યાર્થીઓ માટે તો આંગણવાડીના નામ ઉપર આભ અને નીચે ધરતી છે, ભૂલકાઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય એક રહીશના ઝૂપડા જેવા ઘરમાં પ્રાથમિક સુવિધા વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, બે આંગણવાડી કાર્યકર બહેનો દ્ધારા નાની ઓરડીમાં 47 જેટલા બાળકોને બ્લેક બોર્ડ વિના અભ્યાસ આપવામાં આવી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top