કોંગ્રેસનું તળિયું દેખાઈ રહ્યું છે એટલે ભાજપમાં જવાનો નિર્ણય કર્યો, હજી પૂર્વ MLA અને મંત્રીઓ ભાજપમાં જોડાશે: નરેશ રાવલ

0
ગુજરાત કોંગ્રેસમાં 1995થી પક્ષપલટો થતો આવ્યો છે. કોંગ્રેસના અનેક દિગ્ગજો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાં છે. 2012 પછી અત્યાર સુધીમાં 60 જેટલા દિગ્ગજોએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે હવે સતત 40 વર્ષ સુધી કોંગ્રેસની સાથે રહેલાં દિગ્ગજ નેતા જેઓ ગાંધી પરિવાર સાથે એકદમ નજીકનો ઘરોબો ધરાવે છે તેવા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કહીને 17 ઓગસ્ટે કેસરીયો કરી રહ્યાં છે. ત્યારે દિવ્યભાસ્કરે નરેશ રાવલ સાથે કોંગ્રેસ છોડવા મુદ્દે વાતચીત કરી હતી.





નરેશ રાવલ: કોંગ્રેસ છોડવાનો વિચાર ઘણા સમયથી મારા મનમાં ચાલતો હતો. પક્ષની કામગીરી નબળી પડતી જતી હતી. પક્ષ અને સંગઠનમાં સુધારો વધારો કરવા માટે નેતૃત્વ દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નહોતો. એટલે મનમાં એવું થયું કે આટલા વર્ષો સુધી કોંગ્રેસ સાથે આપણી લેણદેણ હતી પણ હવે નથી રહી એટલે થયું કે હવે અહીંથી નિકળી જઈએ અને ભાજપના નેતૃત્વ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top