સોનગઢ: ખડકાચીખલી ગામે તંત્રની બેદરકારી કારણે રસ્તાના ખાડા સ્વખર્ચે પુરવા લોકો મજબૂર બન્યા

0
સોનગઢ તાલુકાના ખડકાચીખલી ગામે વરસાદના કારણે ગામના રસ્તાઓ પર ખાડા પડયા હતા.



ખડકાચીખલીના પટેલ ફળિયામાં જ્યાં બે મહિના પહેલા જ નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો.પરંતુ તંત્રના બેદરકારીના કારણે પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ખાડાઓ પડી જતા ઘણા અકસ્માતો સર્જાયા હતા. ગ્રામજનો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન અપાતાં લોકોને મુશ્કેલી પડી રહી હતી. બીજા અકસ્માતના બનાવો ન બને તે માટે ફળિયાના રહીશોએ ભેગા થઈને સ્વખર્ચે રસ્તાના ખાડાઓનું પુરાણ કરવાનું આયોજન કર્યું હતું. ફળિયાના રહીશો દીપકભાઈ સામજીભાઈ ગામીત ,રમેશભાઈ રતિલાલભાઈ ગામીત, કલપેશભાઈ જયંતિભાઈ ગામીત દ્વારા સ્વખર્ચે ટેમ્પો માં માટી લાવીને આજ રોજ તા ૨૩ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ ખાડાઓ પૂરવામાં આવ્યા છે. જેથી અકસ્માતો થતા રોકી શકાય.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top