વનવિભાગ દ્વારા માંડવી તાલુકાના ઉશ્કેરગામથી શંકાસ્પદ વાઘના ચામડા સાથે ૩ ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા વનવિભાગના અધિકારી અને કર્મચારીઓની ટીમને બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના મંડવીતાલુકાના ઉશ્કેર ગામે રહેતા જેઠાભાઇ જહાભાઈ સાંતીયાંના ઘરે વન્ય પ્રાણી વાઘ અનુસૂચિ-૧ નું ચામડું છે.
જે બાતમીના આધારે વન વિભાગે રેડ કરી જેઠાભાઇ જહાભાઈ સાટીયા (ઉ.વ.૨૫, રહે. ઉશ્કેર,માંડવી), ધીરુભાઈ સમભાઈ ગામિત (ઉ.વ.૫૪,રહે.બોરસદ,માંડવી) અને રાજુભાઇ ગંજીભાઈ ગામિત (ઉ.વ.૩૮,રહે,ચીખલદા) નાઓને વાઘના ચામડા સાથે ઝડપી પાડયા હતા. જોકે વનવિભાગ માંડવી દક્ષિણ રેન્જમાં વન્ય પ્રાણી સરક્ષક અધિનિયમન ૧૯૭૨ મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.


.png)