સામાન્ય માણસને શાકભાજી ખાવા થયા મોંઘા, ગૃહિણીઓના બજેટ પર જાણો કેટલો પડશે માર

0
હાલ મોટાભાગના શાક જેવા કે ગવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી જેવા શાક 100 રૂપિયાથી લઇ 160 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે


ચોમાસામાં સામાન્ય રીતે વેલાવાળા શાકભાજીની આવક વધુ થતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીની આવક સામાન્ય કરતા 30 ટકા ઓછી થઇ છે. પરિણામે હાલ બજારમાં શાકભાજીનો ભાવ 15-17 ટકા વધ્યો છે. આ વધારો છેલ્લા 15 દિવસમાં નોંધાયો છે. જો કે આગામી 15-20 દિવસ બાદ જો સામાન્ય વરસાદ રહેશે તો ભાવ ઓછા થાય તેવી શક્યતા APMC ના સેક્રેટરી દિપક પટેલે વ્યક્ત કરી છે.

હાલ મોટાભાગના શાક જેવા કે ગવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી જેવા શાક 100 રૂપિયાથી લઇ 160 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. ગવાર, ચોળી, ભીંડા જે અગાઉ 60-80 રૂપિયા કિલો હતા તે હવે 100-120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ફણસી અગાઉ 80 રૂપિયા કિલો હતી જે હાલ 120 રૂપિયા કિલો જયારે વટાણા અગાઉ 120 રૂપિયા કિલો હતા જે હાલ 160 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

સિમલા મરચા અને ટિંડોળા અગાઉ 40-60 રૂપિયા કિલો હતા જે હાલ 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આદુ, લીલા મરચા અગાઉ 50-60 રૂપિયા કિલો હતા તે હાલ 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જોકે, ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ ટામેટા 60 રૂપિયા કિલો હતા જે હાલ 40 રૂપિયા કિલો મળી રહ્યા છે. વધતા ભાવ સામે ગ્રાહકોના બજેટ ઉપર અસર થઇ રહ્યો છે. શાકભાજી લેવા આવનારા દરેક લોકો વધતા ભાવ સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top