વલસાડ (Valsad) જિલ્લામાં એક અઠવાડિયાથી વરસાદ (Rain) ની હેલી જામી છે. જોકે વલસાડની ઔરંગા નદી (Oranga River) ના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે બે દિવસ સુધી નદી ગાંડીતુર હતી અને નદીમાં ઘોડાપુર આવતા નદી કિનારાના વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા.

ઓરંગાના જળ તાંડવને કારણે સતત બે દિવસ સુધી નદી કિનારા વિસ્તારના લોકોએ ઘરોમાં જ પુરાઈ રહેવું પડ્યું હતું. તબાહીની ભયંકરતા એટલી હતી કે નીચાણવાળા વિસ્તારોમાં પહેલા માળ સુધી લોકોના ઘરોમાં પાણી હતું. આથી આ વિસ્તારમાંથી બે દિવસ સુધીમાં 2,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે બે દિવસ સુધી વલસાડ શહેરના ધમરોળ્યા બાદ ઓરંગા નદી હવે શાંતિ થઈ છે. નદી શાંત થયા બાદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.


.jpg)

.png)