Surat : બ્રિજનગરી સુરતમાં દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ (Sahara Darvaja Multi Layer Bridge)નું લોકાર્પણ કર્યું. આ મલ્ટી લેયર બ્રિજથી સુરતના 15 લાખ જેટલા લોકોને ફાયદો થશે.
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ સુરતનો સૌથી ઊંચો અને દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર બ્રિજ છે. આ બ્રિજનું નિર્માણ રૂ.133.50 કરોડના ખર્ચે બનાવાવમાં આવ્યો છે. આ થ્રી લેયર બ્રિજને કારણે રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી રિંગ રોડ ફ્લાઈઓવર બ્રિજ પરથી થઇને સુરત-કડોદરા રોડ તરફ રેલવે ક્રોસિંગ પર કરીને જય શકાશે.
.png)


.png)