ચૂંટણી પંચે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થાય છે. 15મી જૂને નોટિફિકેશન જાહેર થશે. 29મી જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 30 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી થશે. તેમજ 3 જુલાઇ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. જ્યારે 18મી જુલાઇએ મતદાન થશે. 21મી જુલાઇએ મતગણતરી થશે.
બંધારણના અનુચ્છેદ 62 નો ઉલ્લેખ કરીને, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થાય છે અને તે પહેલાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની ચૂંટણીઓ પૂર્ણ થવી જોઈએ. સંસદના બંને ગૃહોના સભ્યો ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. રાજ્યસભા, લોકસભા અથવા વિધાનસભાના નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. તેવી જ રીતે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17મી જુલાઈએ મતદાન થયું હતું અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોનું ગણિત, સાંસદના મતનું મૂલ્ય સાંસદોના મતના મૂલ્યનું અંકગણિત અલગ છે. સૌ પ્રથમ, તમામ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોના મતોનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. હવે આ સામૂહિક મૂલ્યને રાજ્યસભા અને લોકસભાના કુલ સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલ સંખ્યા એ સાંસદના મતનું મૂલ્ય છે.



.png)