Samrat Prithviraj Box Office: 3 જૂનના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થયેલી અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને પહેલા દિવસની કમાણી ઘણી નિરાશ કરનારી રહી હતી. આ ફિલ્મે પહેલા દિવસે ફક્ત 10.70 કરોડની કમાણી કરી હતી. પરંતુ વિકેન્ડમાં કમાણીનો થોડો વધારો જોવા મળ્યો હતો. જે બાદ એવી આશા હતી કે, હવે આ ફિલ્મની કમાણી ઝડપ પકડશે. પરંતુ ચોથા દિવસે ફરીથી ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે.
ચોથા દિવસનું કુલ કલેક્શનઃ
જાવી દઈએ કે ફિલ્મની રીલીઝના ચોથા દિવસ એટલે કે સોમવારની કમાણીનો રિપોર્ટ આવી ગયો છે. જાણીતા ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા મુજબ ચોથા દિવસે ફિલ્મની બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ હાલત જોવા મળી હતી અને ફક્ત 5 કરોડની કમાણી થઈ હતી. જે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન છે. આ ફિલ્મ માટે મોટા ઝટકા સમાન છે.
.png)


.png)