CSK vs PBKS: પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું, CSKની સતત ચોથી હાર

0
  • પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું છે.
  • ચેન્નાઈની આ સતત ચોથી હાર છે.
  • આ મેચમાં પ્રિયાંશ આર્યએ તોફાની સદી ફટકારી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે (8 એપ્રિલ) પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું છે. ચેન્નાઈની આ સતત ચોથી હાર છે. આ મેચ ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર) ના મહારાજ યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રિયાંશ આર્યએ તોફાની સદી ફટકારી છે. તેણે માત્ર 39 બોલમાં સદી ફટકારી. જેની મદદથી પંજાબે ચેન્નાઈને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 201 રન જ બનાવી શકી હતી. આમ, પંજાબની 18 રનથી જીત થઈ છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ અને મથિશ પથિરાના.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: શિવમ દુબે, જેમી ઓવરટોન, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અંશુલ કંબોજ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top