- દમલાઈ ખાતે જનતા રેડ દરમિયાન બોલાચાલી
- સાંસદ મનસુખ વસાવા અને સરપંચ વચ્ચે બોલાચાલી
- ભરૂચમાં રેતી ખનનના મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો
ભરૂચમાં રેતી ખનના મામલે દમલાઈ ખાતે જનતા રેડ દરમિયાન બોલાચાલી. સાંસદ મનસુખ વસાવા અને સરપંચ વચ્ચે બોલાચાલી. સરપંચે સાંસદને રોકડું પરખાવતા કહ્યું રાતે કોઈ પણ ખનન ચોરી કરી જતું હોય છે. પંચાયતનો કોઈ રોલ નથી. તમારા કહેવાથી ભાજપમાં જોડાયા છીએ પણ ખોટું નહીં ચલાવી લઈએ. સરપંચે કહ્યું અમે ચોર નથી. પંચાયત પર જીવવા વાળા માણસ નથી અમે.
ભરૂચમાં રેતી ખનનના મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો. સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના દમલાઇ ખાતે કરી જનતા રેડ. સ્થાનિકોને સાથે રાખી ખનનની જગ્યાએ રેડ કરી. પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા પણ જોડાયા. તંત્રના અધિકારીઓની મિલીભગતથી સિલિકા ચોરીનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ.