જામનગરમાં સભા પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબની મુલાકાત કરી હતી. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીને હાલારી પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જામનગર ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જામ સાહેબ સાથેની મુલાકાત અંગે વાત કરતા કહ્યું કે, 'બધાને થતું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે, આ પાઘડી ઉતારાય એવું નથી. હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા માટે ગયો હતો. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.'
)
વડાપ્રધાને કહ્યું કે, 'તેમણે (મહારાજા દિગ્વિજય સિંહજીએ) જે બીજ વાવ્યું, તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે આપણા સંબંધો મજબૂત છે. જામ સાહેબના પરિવાર સાથે મારો જૂનો નાતો રહ્યો છે, તેમના આશીર્વાદ રહ્યા છે. આજે પણ અહીં આવતા સમયે, તેમના આશીર્વાદ લેવા ગયો અને જ્યારે જામ સાહેબ વિજયી ભવઃ કહે છે, ત્યારે વિજય નક્કી થઈ જાય છે.'
.png)

.png)