વ્યારા તાલુકાના ભોજપુર નજીક ગામની સીમમાં પ્રાથમિક શાળા આવી છે. હાલ આ શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે શાળાના સંચાલકો દ્વારા ઝાડો પર અને દિવાલ પર ગેરુ અને ચૂનાનો કલર કરાવાયો હતો. બાળકોને શૈક્ષણિક કામગીરી કરાવવાને બદલે આવા કામો સફાઈ રહ્યા હોવાને લઈને જાગૃત વાલીઓમાં રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે ગંભીરતા દાખવી તપાસ કરાવી કસુરવારો સામે પગલાં ભરે એ જરૂરી છે જેથી માસુમ ભૂલકાઓએ ભવિષ્યમાં આવા કામો ના કરવા પડે.
ભોજપુર નજીક પ્રાથમિક શાળા આવેલી છે જેમાં ધોરણ 1 થી 7માં બાળકો અભ્યાસ કરે છે. શાળામાં ભણતા બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ આપવાને બદલે શાળા સંચાલકો દ્વારા બાળકોને અન્ય પ્રવૃતિમાં જોતરી દેતા બાળકોના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યા છે. હાલ બાળકોને ભણવા માટે વાલીઓ મોકલતા હોય ત્યારે શાળામાં બાળકોએ ન કરવાના કામો પણ કરવાની કામગીરીને લઈને જાગૃત વાલીઓમાં પણ રોષ વ્યાપી રહ્યો છે.બુધવારના રોજ વ્યારા ના ભોજપુર નજીક શાળામાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા શૈક્ષણિક કામગીરીથી અળગા રહી શાળાની અંદર આવેલા ઝાડ ઉપર ઘેરુ અને ચૂનાનું લગાડવાનું કામગીરી કરી રહ્યા હતા. તેની સાથે દિવાલ પર પણ ચૂનો અને ગેરુ લગાડવાની કામગીરી કરી રહ્યા હતા. માસુમ બાળકોને શિક્ષણ આપવાને બદલે અન્ય કામગીરી કરાવવાની પદ્ધતિ બંધ થવી જોઈએ બાળકોને શાળામાં શિક્ષણ જ મળવું જોઈએ.
.png)

.png)