વ્યારાને ઝળહળતું રાખવા વધુ 175 સ્ટ્રીટ લાઇટ મુકાઇ

0
નગરના અનેક વિસ્તારોમાં લાઇટના અભાવે રાત્રિ દરમિયાન પડતી મુશ્કેલીનો અંત આવ્યો


વ્યારા નગરપાલિકા દ્વારા નગરના કેટલાક વિસ્તારોમાં વીજ પોલ બદલવા તેમાં કેટલા વિસ્તારમાં અંધારાની ફરિયાદને દૂર કરવા ચાલીસ લાખના ખર્ચે 175 પોલ વ્યારા નગરપાલિકા વિસ્તારમાં મૂકવાનું આયોજન કર્યું હતું, જે મુજબ વીજ પોલ મૂકી શરૂ કરી દેવામાં આવી છે.વ્યારાના વિકાસમાં એક નવું સોપાન ઉભુ કર્યું હતું. વ્યારા નગરપાલિકા દ્વારા ગત રોજ 175 જેટલી નવી લાઈટોના પોલોનું લોકાર્પણ કરવામાં આવ્યું.વ્યારા નગરના બહુચરાજી માતાના મંદિરથી કણજા ફાટક સુધી, તેમજ ગોરૈયા ફળિયામાં અંદાજે 40 લાખના ખર્ચે સમગ્ર વિસ્તારમાં લાઈટોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કણજા ફાટક ઉપર તથા શામજીભાઈના ઘર પાસે ગોરૈયા ફળિયામાં, વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણાના હસ્તે તેમજ વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કુલીન. પ્રધાન, ચીફઓફિસર .બી.બી.ભાવસાર તેમજ વિવિધ સમિતિના ચેરમેનોની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે સંગઠનના હોદ્દેદારો તથા નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા, આ સુનેરા અવસરથી કણજા ફાટકથી લઈને જલારામ મંદિર બહુચરા માતાજી સુધી લાઈટોનું સુંદર આયોજન થયું હતુ, તેમજ નગરના છેવાડા એવા ગોરૈયા વિસ્તારમાં પણ અજવાળું ફેલાઈ ગયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top